નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે કે.કે. કદમ કન્યા વિદ્યાલય વ્યારાની દીકરીઓ સાથે ગોષ્ઠી કરી

0
નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલે કે.કે. કદમ કન્યા વિદ્યાલય વ્યારાની દીકરીઓ સાથે ગોષ્ઠી કરી
Contact News Publisher

‘એક પેડ મા કે નામ’ થીમ હેઠળ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫. :- તાપી જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યકક્ષાના નાણા મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે વ્યારા સ્થિત શ્રીમતી કે.કે. કદમ કન્યા વિદ્યાલયની મુલાકાત દરમિયાન માત્ર શિક્ષણ જ નહીં, પણ પર્યાવરણ અને સંસ્કારના જતનનો એક સુંદર પ્રેરણાદાયી માહોલ સર્જ્યો હતો.

 

મંત્રીશ્રીએ શાળા પરિસરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી અભિયાન ‘એક પેડ મા કે નામ’ થીમ હેઠળ ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે જ તેમણે ઉપસ્થિત સૌને પ્રકૃતિના જતન માટે છોડ વાવવાની અને તેની માવજત કરવાની અપીલ કરી હતી.

 

વૃક્ષારોપણ બાદ નાણામંત્રીશ્રી કમલેશભાઈ પટેલે ખૂબ જ સહજતાથી શાળાની દીકરીઓ વચ્ચે જઈને તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મંત્રીશ્રીએ દીકરીઓ સાથે એક વાલીની જેમ વાતચીત કરતા તેમના અભ્યાસ, કારકિર્દીના લક્ષ્યો અને શાળાની સુવિધાઓ વિશે વિગતો જાણી હતી.

 

આ આત્મીય સંવાદ દરમિયાન મંત્રીશ્રીએ દીકરીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, દીકરીઓ ભણી-ગણીને આગળ વધે અને દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરે તે જ સાચો વિકાસ છે. મંત્રીશ્રીના આ સરળ અને લાગણીસભર અભિગમે કન્યા વિદ્યાલયની દીકરીઓમાં એક નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. આ મુલાકાત શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ માટે યાદગાર બની રહી હતી.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *