જેલની કોટડી બની જ્ઞાનની પાઠશાળા
Contact News Publisher
રાજ્યની અલગ અલગ જેલમાં રહેલા ૪૪ બંદીવાનો બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ
જેલ પ્રશાસનની મહેનત અને માર્ગદર્શનથી બંદીવાનોના જીવનમાં આવ્યું પરીવર્તન
ગુજરાતની જેલોના બંદીવાનો શિક્ષણ થકી ડિપ્રેશનમાંથી બહાર આવી મુખ્ય પ્રવાહમાં જોડાયા, સફળ બંદીવાનોનું જેલ વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે: ડૉ. કે. એલ. એન. રાવ
જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઉભી થાય છે. પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુનઃવસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું હતુ.
