નારી વંદન ઉત્સવ–૨૦૨૫ : સોનગઢ તાલુકાના રોશનીબેન ૨ લાખ રૂપિયાથી સીલેટવેલમાં કિરાણા સ્ટોર ચલાવે છે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 0૪ ઓગસ્ટ. નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત સોનગઢ તાલુકાના રોશનીબેન ગામીતને બેંક ઓફ બરોડા દ્વારા સ્વરોજ્ગાર યોજના અંતર્ગત ૨ લાખ રૂપિયાની લોન આપવામાં આવી છે. રોશનીબેન આ પૈસા માંથી કિરાણાનો સમાન લઈ અને દુકાન કરવા માંગે છે. તેમને રૂપિયા ૨ લાખની રકમ પર ૭૦ હજાર જેટલી માતબર રકમની સબસીડી આપવામાં આવી છે. તેઓએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે પોતાના અને પોતાના પરિવાર અને બાળકો માટે આ રકમ ખુબ કામ લાગશે અને તેનો જે નફો મળશે તેનાથી વધારે રોકાણ કરી તેવો આ વ્યવસાયમાં આગળ વધવા માંગે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

