સોનગઢનો આમલીપાડા, ઉખલદા, ધજામ્બા, વેલઝર રોડ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 24.- તાપી જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં અને પાણી ઓસરતાં પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા અવરોધાયેલા માર્ગોને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ઝડપથી હાથ ધરાઈ છે.
જેના ભાગરૂપે સોનગઢ તાલુકામાં આવેલ આમલીપાડા, ઉખલદા, ધજામ્બા, વેલઝર માર્ગ પરથી વરસાદી પાણી ઓસરી જતાં આ માર્ગ હવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લો કરાયો છે.
માર્ગ ખુલ્લો થતાં વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોને મોટી રાહત મળી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
