ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ સ્વ-જનગણના પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી નાગરિકોને સહભાગી બનવા કરી અપીલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯ :- વ્યારા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પોતાની સ્વ-જનગણના પૂર્ણ કરી તાપી જિલ્લાના નાગરિકોને પણ આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે.
તેમણે જણાવ્યું કે, તા. ૧૭ મે થી ૩૧ મે દરમિયાન આયોજિત સ્વ-ગણતરી કાર્યક્રમ અંતર્ગત નાગરિકો https://self.census.gov.in પોર્ટલ પર જઈ પોતાની અને પરિવારની માહિતી નોંધાવી શકે છે. સાચી અને સમયસર માહિતી દેશના વિકાસ તેમજ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે ઉપયોગી બનશે.
ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ પણ સ્વ-જનગણના પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી હતી અને નાગરિકોને આ અભિયાનમાં વધુમાં વધુ જોડાવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં અનુરોધ કરતાં કહ્યુ કે, તા. ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન યોજાનાર ઘરયાદી અને મકાન ગણતરી કામગીરી દરમિયાન ગણતરી કર્મચારીઓને જરૂરી માહિતી આપી સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
