પ્રાથમિક શાળા શામપુરામાં સ્વ. સુનિતાબેન ચૌધરીનાં સ્મરણાર્થે બાળકોને તિથિ ભોજન પીરસાયું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળા શામપુરામાં જશવંતાબેન ગોવિંદભાઈ ચૌધરી તરફથી સ્વ. સુનિતાબેન ભરતભાઈ ચૌધરીનાં સ્મરણાર્થે શાળાનાં તમામ બાળકો તથા શિક્ષકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થનાં પરિવારજનોએ આ તકે ઉપસ્થિત રહીને બાળકોને ભાવપૂર્વક ભોજન પીરસ્યું હતું. અંતે શાળાનાં મુખ્યશિક્ષક અનિલભાઈ ચૌધરીએ શાળામાં તિથિ ભોજન આપવા બદલ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
તસવીર : વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

