સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કામરેજ ઉમા મંગલ હોલ ખાતે રક્તદાન શિબિર યોજાશે

પ્રતિકાત્મક તસ્વીર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તેમજ મસ્કતી હોસ્પિટલ સુરતના સંયુક્ત ઉપક્રમે અગામી તારીખ ૭ ના શુક્રવારના સવારે ૯.૪૫ કલાકે ઉમા મંગલ હોલ કામરેજ ચાર રસ્તા મુકામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પ મા ર્ડો ટી. એસ. જોષી (નિયામકશ્રી, GCERT ગાંધીનગર) રાજ્ય સંઘ ના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત DDO એચ.કે. કોયા હાજર રહેશે તથા ર્ડો વિનોદભાઈ રાવ વિડીયો કોન્ફરન્સથી માર્ગદર્શન આપશે તો આ શિબિરનો વધુ મા વધુ લાભ લેવા સુરતનાં DEO એચ. એચ. રાજ્ય ગુરુ, જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું છે.