સુરત જિલ્લામાં આજે બોપોર સુધીમાં વધુ ૨૭ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્ર ચિંતાતુર

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર  દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૧ જુલાઈના બોપોર સુધીમાં જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૨૭ જેટલાં નવા કોરોનાનાં પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લા અને જે તે તાલુકાનું વહીવટી તંત્ર ચિંતાતુર બન્યું છે. સુરત શહેર અને જિલ્લામાં પોઝીટીવ કેસોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે, જેને પગલે રાજયનાં આરોગ્ય સચિવ જયંતિ રવિ એક અઠવાડીયા માટે સુરત આવી પોહચ્યા છે, આજે  નવા ૨૭ પોઝીટીવ કેસ નોંધાયા છે, જેમાં કામરેજમાં ૧૦, પલસાણામાં ૪, ઓલપાડમાં ૪, મહુવામાં ૨, બારડોલીમાં ૨ કેસ નોંધાયા છે. આ સાથે સુરત જિલ્લાનો કોરોનાનો કુલ આંકડો ૫૭૪ ઉપર પોહચ્યો છે. જયારે જીલ્લામાં કુલ મૃત્યુ આંક ૧૬ થયો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other