ડોલવણના ઢોડિયાવાડ આશ્રયસ્થાનમાં ખસેડાયેલા પરિવારો માટે રહેવા, જમવા અને આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરાઈ
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.01 :– ભારે વરસાદના પગલે તાપી વહીવટી તંત્રપ્રજાજનોની સુરક્ષા અને સલામતી માટે સતત ખડેપગે છે. ડોલવણ તાલુકાના ઢોડિયાવાડ ખાતે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયેલા પાંચ કુટુંબો માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા રહેવા તેમજ સમયસર ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ઉપરાંત, આશ્રયસ્થાનમાં રોકાયેલા નાગરિકો માટે આરોગ્યલક્ષી તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
