સોનગઢની સિંગલખાચ પ્રાથમિક શાળા ખાતે સ્વછતા અભિયાન વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા તારીખ ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ પ્રાથમિક શાળા સિંગલખાચ ખાતે સ્વછતા અભિયાન વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના ટ્રેનિંગ આસિસ્ટન્ટ કુ. રીતિકા ટંડેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કિરણ જોરા, જુનિયર રિસર્ચ ફેલો શ્રી સાગરભાઈ નવીનભાઈ અને સીઓઈ ઉકાઈની ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સ્વછતા અભિયાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કુલ ૨૬ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
