આવતીકાલે સાયણનાં જ્યોતિષાચાર્ય ડો.નિલેશ પટેલનાં પુસ્તકનો વિમોચન સમારોહ
Jyotishachaeya

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૯. ગુજરાતનાં ખૂબ જાણીતા જ્યોતિષ મૂળ ઓલપાડ તાલુકાનાં સાયણ ગામ નિવાસી જ્યોતિષાચાર્ય ડો.નિલેશ પટેલનાં જ્યોતિષનાં પાંચમા પુસ્તક “જ્યોતિષનાં ટુચકાઓ અને ઉપાયો (સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે)” નો લોકાર્પણ કાર્યક્રમ આવતીકાલે તા.20/9/2026 ને રવિવારનાં રોજ ઓસરી હોલ, ગૌરવપથ રોડ, સુરત ખાતે સવારે 10:30 કલાકે યોજાશે. આ પ્રસંગે મુખ્ય વિમોચનકર્તા તરીકે એડવોકેટ શ્રેયાંશ દેસાઈ, અતિથિ વિશેષ તરીકે ડો.વિજયભાઈ ઠક્કર, રમેશભાઈ પારસિયા, કાનજીભાઈ પટેલ, પુસ્તક પરિચય વિદિત દ્વિવેદી અને કાર્યક્રમ સંચાલક તરીકે કિરણસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. જેમાં વાચકોનો ભાવભર્યું આમંત્રણ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
