રાષ્ટ્રીય ખેડૂત દિવસ : જગતનાં તાતને વંદન

0
IMG-20251223-WA0015
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશની મોટાભાગની વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. આપણી ભોજન થાળી સુધી ખોરાક પહોંચાડવા માટે ખેડૂતો આર્થિક અને સામાજિક પડકારોની સાથે માનસિક, શારિરીક ચિંતાઓ વચ્ચે અવિરત અથાગ પરિશ્રમ કરે છે. આ ખેડૂતોનાં નિઃસ્વાર્થ યોગદાનની કદરરૂપે – સન્માનરૂપે પ્રતિ વર્ષ 23 ડીસેમ્બરનાં રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંપરાગત ખેતી કરતાં ખેડૂતો સમયની માંગ સાથે હવે અત્યાધુનિક ખેતી વિષયક સાધનોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતાં થયાં છે ત્યારે જોગાનુજોગ આજનાં રાષ્ટ્રીય ખેડૂત દિવસનાં શુભ અવસરે હાંસોટનાં વાંસનોલી ગામ ખાતે જગતનાં તાત એવાં ખેડૂત પોતાનાં યાંત્રિક ઉપકરણ વડે પોતાનાં ખેતરમાં કામે જોતરાયેલ કેમેરાની નજરે પડ્યાં તે પ્રસંગની તસવીર.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ )

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other