ચંદી પડવાના દિને સામપુરા પ્રાથમિક શાળાનાં બાળકોએ ઘારી અને ફરસાણનો રસાસ્વાદ માણ્યો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાતમાં ખાસ કરીને સુરત સીટી અને જિલ્લામાં આબાલવૃદ્ધને પ્રિય એવાં ચંદી પડવાને નોખી રીતે ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસે ખાવામાં આવતી ઘારી અને સાથે ફરસાણની લિજ્જત મજાની હોય છે. ગતરોજ સુરતનાં અંતરિયાળ વિસ્તારની સામપુરા પ્રાથમિક શાળાનાં બાળકોએ પોતાનાં ગુરૂજનો તરફથી ઘારી અને ફરસાણનો રસાસ્વાદ માણ્યો હતો તે પ્રસંગની તસવીર.
તસવીર : વિજય પટેલ (ઓલપાડ )
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
