સ્વર્ગસ્થ શ્રી અનિલભાઈ મગનલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે કાલિદાસ હોસ્પિટલ દ્વારા કટાસવણ ખાતે મફત હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરાયુઃ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વર્ગસ્થ શ્રી અનિલભાઈ મગનલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે, સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા સંલગ્ન કાલિદાસ હોસ્પિટલ દ્વારા શુક્રવાર ૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ કટાસવણ ગ્રામપંચાયત ખાતે મફત હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પની સેવા ડૉ.સોના શાહ દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ અને કેમ્પ કમિટીના વડા ડૉ. દિક્ષિતા ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

