સોનગઢની નંદનવન સોસાયટી ખાતે આવેલા શ્રી નંદેશ્વર મહાદેવના પાવન પ્રાંગણમાં ભવ્ય રુદ્ર જ્યોતિર્લિંગ મહોત્સવનો પવિત્ર પ્રારંભ

0
સોનગઢની નંદનવન સોસાયટી ખાતે આવેલા શ્રી નંદેશ્વર મહાદેવના પાવન પ્રાંગણમાં ભવ્ય રુદ્ર જ્યોતિર્લિંગ મહોત્સવનો પવિત્ર પ્રારંભ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૮. આ પાવન પ્રસંગે સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ તથા શ્રી સચિન પાટીલ દ્વારા રુદ્ર જ્યોતિર્લિંગની પવિત્ર સ્થાપના કરવામાં આવી.

 

આ ભવ્ય મહોત્સવ આવતા ગુરુવાર સુધી ચાલનાર છે. મહોત્સવ દરમિયાન દરરોજ સાંજના સમયે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

 

જેમાં ભજન, ગરબા, મહાઆરતી, સુંદરકાંડ તેમજ વિવિધ સંતો અને મહાનુભાવોના પ્રેરણાદાયી પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

ત્યારે સોનગઢ શહેરના તમામ નગરજનોને નમ્ર અપીલ અને હાર્દિક આમંત્રણ અપાયું છે કે, સૌ સહપરિવાર ઉપસ્થિત રહી, આ પાવન મહોત્સવમાં સહભાગી બનો અને ભગવાન શ્રી નંદેશ્વર મહાદેવના પાવન આશીર્વાદ પ્રાપ્ત કરો. આવો, ભક્તિ, શ્રદ્ધા અને આનંદના આ પાવન અવસરને સાથે મળીને ભવ્ય અને યાદગાર બનાવીએ.

○○●

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *