વ્યારા એ.આર.ટી.ઓ. કચેરી ખાતે સ્કૂલ ડ્રાઇવરો માટે માર્ગ સલામતી તાલીમ શિબિર યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 10. :- તાપી જિલ્લાના વ્યારા ખાતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’ અંતર્ગત એઆરટીઓ કચેરી દ્વારા સ્કૂલ બસ અને વાન ચાલકો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી બી. એસ. પટેલે બાળકોની સુરક્ષા માટે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવા, ઓવરસ્પીડિંગ ન કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ડ્રાઇવરોએ માર્ગ સલામતીના સામુહિક શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ એઆરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી અંગેની જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
