૧૮+ ની વયજુથના નાગરિકો માટે નવી આધાર નોંધણી કરાવવા જોગ

Contact News Publisher

વ્યારા અને સોનગઢની મામલતદાર કચેરીમાં તેમજ નિઝર તાલુકા સેવા સદનના નોંધણીની કામગીરી હાલ શરૂ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧ મે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિક અને આઈટી વિભાગના ઓફિસ મેમોરેન્ડમમાં જણાવ્યા મુજબ ભારત સરકાર દ્વારા ૧૮+ ની વયજુથ માટેની નવી આધાર નોંધણી ભૌતિક ચકાસણીને આધારે કરવામાં આવે છે. આ પોર્ટલ દ્વારા ૧૮ + વયજુથની નવી આધાર નોંધણી બાદ એનરોલમેંટ પેકેટ જનરેટ થશે. ત્યારબાદ રહેવાસીના સરનામાં, ઓળખ વગેરે દસ્તાવેજોની ભૌતિક ચકાસણી તાલુકા કક્ષાએથી કરવાની રહે છે. તાલુકાના ભૌતિક ચકાસણી અહેવાલના આધારે રહેવાસીનો આધાર જનરેટ થશે.

હાલ, તાપી જિલ્લામાં મામલતદાર કચેરી વ્યારા ખાતે, મામલતદાર કચેરી સોનગઢ ખાતે અને તાલુકા સેવા સદન નિઝર ખાતે આધાર નોંધણી કેન્દ્રો ખાતે ૧૮ + વયજુથની નવી આધાર નોંધણીની કામગીરી કરવામાં આવે છે.

000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *