કન્યાશાળા બ્રાન્ચ નંબર -૧ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તત્વચિંતક, વિદ્વાન શિક્ષક, પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત કન્યા શાળા બ્રાન્ચ નંબર -૧ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાર્થના સભામાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જીવન કવનની રજૂઆત કરવામાં આવી. વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી વિવિધ વર્ગખંડોમાં શૈક્ષણિક કાર્ય કરાવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

