સુરત અને કીમથી પગપાળા બિહાર જઈ રહેલા 27 શ્રમિકોને મહારાષ્ટ્ર સરકારે ગુજરાત બોર્ડર ઉપર અટકાવી પરત કર્યા

0
IMG-20200509-WA0010
Contact News Publisher

ઉમરપાડાના ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ હરિસિંગભાઈ વસાવાએ આશરો આપી માનવતા મહેકાવી.

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : બિહાર પગપાળા જઇ રહેલા ૨૭ શ્રમીકોને ગુજરાતની બોર્ડર ઉપર મહારાષ્ટ્રના પોલીસ તંત્રએ અટકાવતા કફોડી સ્થિતીમાં મુકાયેલા શ્રમિકોને ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ અને તલાટી કમ મંત્રી એ મદદરૂપ બની માનવતા મહેકાવી હતી… સુરતના કીમ નજીક ઔદ્યોગિક એકમોમાં પ્ ર પ્રાંતીય હજારો શ્રમિકો કામ કરી રહ્યા છે ઉપરોક્ત શ્રમીકોને વતન જવા માટે સરકારી તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરતા આ શ્રમિકો પગપાળા ચાલતા જઈ રહ્યા છે જેમા બે દિવસ પહેલા બિહાર રાજ્યના છ પરા જિલ્લાના 27 શ્રમિકો કીમ થી ઉમરપાડા થઈ મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડ ર પહોંચ્યા હતા પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં તેઓ પ્રવેશ કરે તે પહેલા શ્રમીકોને ગુજરાતની બોર્ડર ઉપર અટકાવી દેવામાં આવ્યા હતા તેઓને આગળ જવાનો કોઇ વિકલ્પ ના મળતા મુશ્કેલીમાં મુકાયા હતા આ સમયે ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ હરિ સિં ગ ભાઈ વસાવા અને તલાટી કમ મંત્રી નીતેશ ભાઈ સોલંકી એમની મ દ દે આવ્યા હતા. ભૂખ્યા-તરસ્યા શ્રમીકોને આશરો આપ્યો હતો ત્યારબાદ પોતાના વાહનો માં મફત કીમ ખાતે મૂકી ગયા હતા અને ટ્રેન મારફત તેઓને પહોંચવાની વ્યવસ્થા કરી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *