ઓલપાડના કઠોદરા ગામે ₹ 1.35 કરોડના ખર્ચે નિર્મિત નવનિર્મિત પ્રાથમિક શાળાનું ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ

Contact News Publisher

શિક્ષણ અને બાળ વિકાસનો સમન્વય: ઓલપાડ તાલુકામાં શાળા અને આંગણવાડીઓના લોકાર્પણ સાથે ₹ 2.13 કરોડથી વધુના વિકાસકાર્યો સંપન્ન.

————————–

શૈક્ષણિક ક્રાંતિ: ઓલપાડના કઠોદરા ગામે ₹ 1.35 કરોડના ખર્ચે બનેલી આધુનિક શાળાનું ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ.

——————————

ગૌરવશાળી શિક્ષણ, સમૃદ્ધ ઓલપાડ: ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા શિક્ષણ અને આંગણવાડીના કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ.

—————————–

એક સંકલ્પ, શ્રેષ્ઠ શિક્ષણ: ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા કઠોદરામાં નવીન શાળાનું લોકાર્પણ. સાંસદ મુકેશ દલાલની પ્રેરક ઉપસ્થિતિ. 

—————————

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કઠોદરા પ્રાથમિક શાળામાં ₹ 135 લાખના માતબર ખર્ચે નિર્માણ પામેલી નવનિર્મિત ભવ્ય ઈમારતનું વિસ્તારના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કઠોદરા શાળાની મુખ્ય ઇમારતની સાથે સાથે તાલુકાના કારેલી ગામે TSP યોજના હેઠળ ₹ 16 લાખના ખર્ચે નિર્મિત બે નવીન ઓરડાઓ તેમજ કઠોદરા, કીમ, મુળદ, કન્યાસી, કુડસદ, ઓભલા અને કાછબ ગામે ₹ 62.55 લાખના ખર્ચે તૈયાર થયેલ આંગણવાડીઓનું પણ લોકાર્પણ સંપન્ન થયું હતું. આ તકે સાંસદ મુકેશભાઈ દલાલે પ્રાસંગિક ઉદબોધન કરી શાળાઓની વિવિધ માળખાગત સુવિધાઓ માટે સરકારની તત્પરતા અંગે ઉપસ્થિત શિક્ષકો તથા પ્રજાજનોને અવગત કર્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ એવા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કઠોદરાની આ નવી શાળા ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમણે ગૌરવભેર નોંધ્યું હતું કે આ જ શાળામાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થીઓ આજે ડોક્ટર અને પ્રોફેસર જેવા પ્રતિષ્ઠિત પદો પર કાર્યરત છે, જે સરકારી શિક્ષણની ગુણવત્તાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વાલીઓને પોતાના બાળકોને આવી અદ્યતન સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવવા ભાવભર્યો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઓલપાડ ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, મહામંત્રી સુનિલભાઈ પટેલ, રાજ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, અગ્રણી બ્રિજેશ પટેલ, પ્રવિણ મકવાણા, બીઆરસી બ્રિજેશ પટેલ, સીડીપીઓ ભારતી મુંઢવા, નાયબ કાર્યપાલક ઈજનેર અમિતાબેન સહિત વિવિધ ગામના સરપંચો, આચાર્યો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કઠોદરા શાળાના આચાર્ય ડો. યજ્ઞેશ પુરોહિત, સ્ટાફગણ અને સરપંચ સોયેબભાઈ બદાત સહિત સમગ્ર શિક્ષાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *