સમાજજીવનમાં કર્મનો સિદ્ધાંત સમજાવતું ચલચિત્ર લાલો ફિલ્મ શાળા સંચાલક દ્વારા બતાવી વીરપુર શાળાની દીકરીઓને કર્મના પાઠ શીખવાડ્યા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ રવિવારે કલનિકેતન ટ્રસ્ટ વ્યારા સંચાલિત તમામ ૯ થી ૧૨ ની આદિજાતિ દિકરીઓના અભ્યાસ વાળી શાળા વિધાકુંજ વિધાલય વીરપુરની તમામ દીકરીઓને કર્મના સિદ્ધાંત સમજાવતું સામાજીક ફિલ્મ “લાલો”નું નિદર્શન શાળાના આચાર્ય કેતન શાહના અથાક પ્રયત્નથી રાજ સિનેમા વ્યારા ખાતે ડિસ્કાઉન્ટ થી ૧૦ થી ૧૨ :૩૦ વાગ્યા સુધી ફિલ્મ બતાવી સમાજજીવનમાં કર્મનો ભાવ સમજાવી સાચું જીવન જીવવાની કળા બતાવી સંદેશો આત્મસત કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકોને ખૂબ આનંદ થયો. વાલીઓમાં એક ઉત્સાહ સાંપડ્યો, મંડળના ટ્રસ્ટીઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
