બારડોલી ધન્વંતરી આરોગ્ય રથ અને 181 મહિલા હેલ્પલાઇનના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બારડોલી સર્કિટ હાઉસ ખાતે વૃક્ષારોપણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. પર્યાવરણીય સંરક્ષણ એ આપણા બાળકો અને ભાવિ પેઢીઓ માટે વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મનુષ્ય અને પર્યાવરણ વચ્ચેના ઊંડા જોડાણને સમજવું મહત્વપૂર્ણ છે તો જ લોકો તેના પ્રત્યેની તેમની જવાબદારી સમજશે. તેથી પર્યાવરણીય જાગૃતિ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવનાથી પ્રેરિત થઈને બારડોલી ધન્વંતરી આરોગ્ય રથ અને 181 મહિલા હેલ્પલાઇનના કર્મચારીઓએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું.
આ કાર્યક્રમમાં બારડોલી 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ, એ.એસ.આઈ. વનિતાબેન, પાયલોટ પટેલ ધર્મેશભાઈ અને ધન્વંતરી આરોગ્ય રથના ડૉ. જ્હાન્વી મહીડા (મેડિકલ ઓફિસર), પેરામેડિક કેનલ પટેલ, લેબર કાઉન્સિલર કલ્પના વસાવા, લેબ ટેકનિશિયન દેવેન્દ્ર ચૌધરી અને ડ્રાઇવર મેહુલ ચૌધરી દ્રારા વૃક્ષારોપણ કરી ને પર્યાવરણના રક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ કાર્યક્રમમાં ધન્વંતરી આરોગ્ય રથના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉ. શિતલ વસાવા પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું અને વૃક્ષારોપણના મહત્વ પર પ્રકાશ પાડ્યો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.