સોનગઢમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઇ-રીક્ષાનું લોકાર્પણ

Contact News Publisher

રાજ્ય મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિએ લીલી ઝંડી આપી  ઈ-રીક્ષાઓને પ્રસ્થાન કરાવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સોનગઢ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ૧૫૭ માંડવી વિધાનસભામાં સમાવેશ સોનગઢ તાલુકાની ૦૯ જેટલી ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવામાં આવેલ ઈ-રીક્ષાઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ નાગરિકોને સંબોધિત કરતાં જણાવ્યું કે “સફાઈ એ માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો વધુમાં વધુ લાભ લઈને આપણે આપણા ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની દિશામાં પગલાં ભરવા જોઈએ.

આ પ્રસંગે ગામના આગેવાનો તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય, SBM staff ઉપસ્થિત રહ્યા હતા.

00

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *