સોનગઢમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઇ-રીક્ષાનું લોકાર્પણ

રાજ્ય મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિએ લીલી ઝંડી આપી ઈ-રીક્ષાઓને પ્રસ્થાન કરાવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સોનગઢ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ૧૫૭ માંડવી વિધાનસભામાં સમાવેશ સોનગઢ તાલુકાની ૦૯ જેટલી ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવામાં આવેલ ઈ-રીક્ષાઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ નાગરિકોને સંબોધિત કરતાં જણાવ્યું કે “સફાઈ એ માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો વધુમાં વધુ લાભ લઈને આપણે આપણા ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની દિશામાં પગલાં ભરવા જોઈએ.
આ પ્રસંગે ગામના આગેવાનો તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય, SBM staff ઉપસ્થિત રહ્યા હતા.
00
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.