તાપી જિલ્લામાં આવેલ નદીઓ-જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ

Contact News Publisher

અગમચેતીના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામુ બહાર પાડીને જિલ્લામાં આવેલી નદી, તળાવ વગેરે જળાશયો પર કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આવા સ્થળોએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના અગમચેતીના ભાગરૂપે વ્યારાટાઉન વિસ્તારમાં આવેલ નગરપાલિકા હસ્તકનું તળાવ, કણઝા, કાળા વ્યારા, બેડકુવાદુર ગામે તાપી નદીના કિનારાનો વિસ્તાર અને વ્યારા ખાતેના ઉકાઇ ડાબા કાંઠા નહેર, ઉચ્છલ તાલુકાના થુટી (ઇરીગેશન), ઉકાઇ જળાશયનો વિસ્તાર, જામકી (મીનીગોવા), ઉકાઇ જળાશયનો વિસ્તાર, હરીપુર (ઇરીગેશન), ઉકાઇ જળાશયનો વિસ્તાર અને વડદેખુર્દ (ઇરીગેશન), ઉકાઇ જળાશયના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.

જાહેરનામા મુજબ, પદમડુંગરી ઇકોટુરીઝમની બાજુમાં આવેલ અંબિકા નદીના બ્રિજ પાસેનો વિસ્તાર ડોલવણ તાલુકો, વાલોડ તાલુકામાં આવેલ વાલ્મીકી નદીના પુલ પાસેનો વિસ્તાર અને બાજીપુરા બજાર પાસે, મિંઢોળા નદીના નાના પુલ પાસેનો વિસ્તાર તેમજ સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમસાઈટ ખાતેના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. જિલ્લામાં આ પ્રતિબંધ માછીમારી સાથે સંકળાયેલા લોકોને બાકાત રાખવામાં આવેલ છે.

આ જાહેરનામું ૧૯/૦૭/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.હુકમનો ભગં કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *