સુરત જિલ્લાના પલસાણા ખાતે નવા પોલીસ મથકને ખુલ્લુ મુકતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સુરત જિલ્લાનાં પલસાણા ખાતે નવી ઉભી કરાયેલ પોલીસ મથકની ઇમારતને આજે રાજયનાં સિનિયર કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે પ્રજાજનો માટે ખુલ્લી મૂકી છે. સુરત જિલ્લાના પલસાણા ખાતે રાજ્ય સરકારના ગૃહવિભાગ તરફથી પોલીસ મથકની અદ્યતન સુવિધા ધરાવતી ઇમારત ઉભી કરવામાં આવી છે, જેની અર્પણ વિધિ આજે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના સિનિયર કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવી છે, રીબીન કાપી, શ્રીફળ વધેરીને પોલીસ મથક ને ખુલ્લું મૂક્યું હતું, આ પ્રસંગે સુરત વિભાગનાં રેન્જ આઇ. જી.રાજકુમાર પાડયન, સુરત જિલ્લાના એસ.પી. અશોક મુનિયા, ડી.વાય.એસ.પી.શ્રી જાડેજા સહીત ઉચ્ચપોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
