રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત 31મી ડિસેમ્બરે તાપી જિલ્લાના પ્રવાસે

0
jayram gamit
Contact News Publisher

બાજીપુરામાં શાળા ભવનનું લોકાર્પણ અને સોનગઢમાં વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત કરશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. :- રમતગમત, પ્રવાસન અને ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત બુધવારે તાપી જિલ્લાના પ્રવાસે છે. તેઓ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે સવારે ૮ કલાકે શ્રી આર.વી.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શ્રીમતી મયુરીબેન કલ્પેશભાઈ પટેલ તથા શ્રીમતી ચંપાબેન સોમભાઈ પટેલ ભવનનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ નોંધાવશે.

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર બપોરે ૧:૩૦ કલાકે મંત્રીશ્રી સોનગઢ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *