એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર ખાતે “પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાન ભાઈઓ તેમજ બેહનો ને ૪૨૦૦૦+ કરોડની કૃષિ પરિયોજનાઓ નો ઉપહાર તેમજ પી એમ ધનધાન્ય કૃષિ યોજના અને દલહન આત્મનિર્ભર મિશનના શુભારંભ કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ યોજવામાં આવેલ હતું.

આ કાર્યક્રમ માં કુલ ૧૦૪ જેટલા એકલ અભિયાન અંતર્ગતના ખેડૂત અને કેન્દ્રના સલગ્ન ખેડૂતો (૭૮ પુરુષ + ૨૬ મહિલાઓ) ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું આયોજન માનનીય કુલપતિશી કામધેનુ યુની. શ્રી ડૉ. પી. એચ. ટાંક અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એમ. એમ. ત્રિવેદી અને કચેરી વડા ડૉ. સ્મિત લેન્ડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
