ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગતરોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દેશવિદેશનાં નાગરિકોની આત્માની ચિર શાંતિ અર્થે ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સવારે પ્રાર્થનાસભામાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. આ તકે વિધાર્થીઓ તથા શિક્ષક ભાઈ-બહેનોએ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા સાથે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોનાં પરિવારજનોને પરમ કૃપાળુ પરમાત્મા આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે માટે પ્રાર્થના કરી હતી.
બીજીતરફ ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયા તથા ભરતભાઈ ટેલર સહિત બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર ઉપરાંત બીઆરસી પરિવારે શોક વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.