વિશ્વ પર્યાવરણ દિન વિશેષ : ધારાસભ્યશ્રી ડો.ગામીતના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણમાં ‘પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ’ અંતર્ગત લોકજાગૃતિ કરવામાં આવી

Contact News Publisher

ગોચરની જમીનમાં ફળ આપનારા વૃક્ષો વાવી તેને જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તા.૦૫, તાપી. સોનગઢ તાલુકાના સાદડુન ગામે ૫ મી જુન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમમાં ૧૭૨ વિધાનસભાનાં ધારાસભ્ય ડો.જયરામભાઈ ગામીત અધ્યક્ષ તરીકે હાજર રહ્યા હતા. સાદડુન ગ્રામ પંચાયતનાં ગૌચર તથા ખરાબાની વિશાળ જગ્યામાં ફળાઉ રોપાઓ રોપી જંગલનું જતન કરવા માટે કોશિશ કરવામાં આવી હતી. આ રોપાઓમાં મુખ્યત્વે દેશી આંબા, ફણસ, રામફળ, હરડે, લીમડો જેવા ૫૦૦ થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ. ગ્રામજનો સહીત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ ની થીમ આધારીત પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત પર્યાવરણ બનાવવા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં સ્વચ્છતા સંકલ્પ, પર્યાવરણની ઉપયોગીતા અંગે વાર્તાલાપ તેમજ વન સંપદાની મહત્તા સમજાવવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય ડો જયરામભાઈ ગામીત દ્વારા લોકોને વધુ વૃક્ષો વાવી હવા પાણી જમીનને પ્રદુષિત મુક્ત બનાવવા અંગે પ્રાસંગિક સંબોધન કરી પોતાના ખેતરોનાં શેઢેપાળે ફળાઉ રોપા રોપી અને વૃક્ષોમાં વધારો થાય તેવું સુચન કર્યું હતું. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે લોકોના ઘર આંગણે નાની-નાની નર્સરીઓ બનાવી આંબા કલમ જેવા રોપાઓનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન થાય તેમજ દરેક લોકોએ ઘર દિઠ ૫ વૃક્ષો વાવવાના સંકલ્પ લેવો. સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે પર્યાવરણને બચાવવા માટેના લોકોની ભાગીદારી રહે અને લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા તેવો પ્રયન્ત લોકોએ કરવો જોઈએ.

સોનગઢ તાલુકાનાં પ્રમુખશ્રી પ્રીતીબેન ગામીતે લોકોને પર્યાવરણ વિશે સમજ આપી કોરોના સમયમાં ઓક્સિજન માટે લોકોને ખુબજ તકલીફ પડી હતી તેવા સમય સંજોગોને ધ્યાનમાં રાખી આજનાં દિવસને વૃક્ષો વાવી હરિયાળી બનાવવાની લોકોને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

વન વિભાગનાં મલંગદેવ રેંજનાં આર.એફ.ઓ શ્રી માર્ટીના ગામીતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વધુ વૃક્ષ વાવવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સૌને અપીલ કરી હતી. ઉપરાંત ઘરનાં આંગણામાં તથા ખેતરના શેઢેપાળે ચોક્કસપણે વૃક્ષો વાવી અને પશુ-પક્ષીઓને ધ્યાને રાખી ખેતરના પાળે વૃક્ષો વાવવા જોઈએ જેથી ખેતરોમાં કીટકોના આહાર માટે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો થાય અને પક્ષીઓ દ્વારા પોષણ કડી જળવાઈ રહે તેવુ માર્ગદર્શન પુરૂ પાડેલ.

સમગ્ર કાર્યક્રમમાં ગ્રામપંચાયત સાદડુન, મલંગદેવના સરપંચશ્રીઓ, સ્થાનિક કાર્યકર્તાઓ, ડો.જયરામભાઈ ગામીત, આદિવાસી એકતા સંગઠનના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ, માજી સોનગઢ તાલુકાના સભ્ય યાકુબભાઈ ગામીત અને વન વિભાગની ટીમ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પર્યાવરણ બચાવવા માટે ભાગીદાર થવાનો સંકલ્પ લીધો હતો.
૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other