રેશનકાર્ડ ધારકોના e-KYC કરાવવા માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૨. તાપી જિલ્લામાં એન.એફ.એસ.એ. લાભાર્થીઓની તમામ તાલુકાઓમાં મળીને કુલ ૯૩.૭૮ % સફળ e-KYC થયેલ છે. આપણા જીલ્લામાં આ પ્રક્રિયા ૧૦૦% થાય તેના માટે તાપી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને એક અપીલ કરવામાં આવી છે. રેશનકાર્ડમાં નામ ધરાવતા હોય અને સરકારી અનાજ મેળવતા તમામ નાગરિકોનું e-KYC કરવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના નાગરિકો ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ, સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી, મામલતદાર કચેરી ખાતે પોતાનું e-KYC કરાવી શકે છે તથા સરકારી અનાજ મેળવતાં કોઇપણ લાભાર્થી ગામના વાજબી ભાવની દુકાનનાં ભંડાર પર જઈને પોતાનું e-KYC કરાવી શકે છે. આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા સેલ્ફ ઇ-કેવાયસી (My Ration App) દ્વારા પણ કરી શકે છે. જે નાગરિકોને પોતાનું e-KYC કરવાનું બાકી છે તેઓ વહેલી તકે e-KYC કરાવી પોતાનો જથ્થો વાજબી ભાવની દુકાનેથી મેળવી શકે છે.
ઉપરોક્ત જગ્યાઓ પર e-KYC ની કામગીરી ચાલુ છે અને જે લોકોએ e-KYC કરાવેલ છે તેમને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે. જે રેશનકાર્ડધારકોનું e-KYC બાકી છે તેઓને સત્વરે e-KYC કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી તાપી દ્વારા સુચન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ હેઠળ માહે મે-૨૦૨૫ તથા જૂન-૨૦૨૫ માસનું અનાજનું વિતરણ તા.૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવેલ હતું. હાલ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ હેઠળ સમાવેશ તમામ લાભાર્થીઓના હિતમાં માહે જૂન-૨૦૨૫ માસના અનાજ વિતરણની મુદ્દતમાં વધારો કરીને ૦૫ જૂન ૨૦૨૫ સુધી લંબાવેલ છે. જેથી તમામ એન.એફ.એસ.એ લાભાર્થીઓને તા.૦૫ જૂન ૨૦૨૫ સુધી માહે જૂન-૨૦૨૫ માટે યોજનાનો લાભમેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે.
૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.