વ્યારા ખાતે ૩૧ મે ના રોજ યોજાનાર સાયક્લોથોનના આયોજન અંગે બેઠક યોજાઈ

પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે વધુમાં વધુ લોકોને સાયક્લોથોનમાં જોડાવા અપિલ કરતા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :: તા. ૨૭ મે. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં આવેલ સયાજી ગ્રાઉન્ડ ખાતે આગામી ૩૧મી મે, ૨૦૨૫ ના રોજ સવારે ૫:૩૦ કલાકે સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અંગે કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ જાળવવાની અગત્યતા ઉપર ભાર મૂકી, વધુમાં વધુ નાગરિકો સહિત સરકારી વિભાગોને સાયક્લોથોનમાં સહભાગી થવા અપીલ કરી હતી.
આ બેઠકમાં વિવિધ આયોજન તેમજ સુવ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય,નાસ્તા-પાણી સહિત એનર્જી ડ્રિંકની સુવિધા, સાયક્લોથોનના રૂટ પર ટ્રાફિક નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થા જાળવવા,રુઠ નકકી કરવા તેમજ સમગ્ર કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે બેનરો લગાવવાની કામગીરી સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સાયક્લોથોનમાં કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે. સહભાગી થવા માટે https://forms.gle/G5yn6d1Sc6g5bmNy8 આ ઓનલાઈન લિંક પર રજીસ્ટ્રેશન કરવું રહેશે.
નોંધનિય છે કે, કાર્યક્રમના ભાગરૂપે સાયક્લોથોનના રૂઠ પર આવતા જનક સ્મારક હોસ્પિટલ ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ, પ્રાંત અધિકારીશ્રી સંદિપ ગાયકવાડ સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.