શ્રી અરવિંદ ઘોષના ૧૫૦મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન પર આધારિત વકતૃત્વ, નિબંધ, તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન

Contact News Publisher

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આગામી ૧૦ જાન્યુઆરી ૨૦૨૩
…………….
માહિતી બ્યુરો, તાપી.તા.27:રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, તાપી દ્વારા સંચાલિત શ્રી અરવિંદ ઘોષના ૧૫૦મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન પર આધારિત વકતૃત્વ, નિબંધ, તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન બે વિભાગમા યોજાશે. જેમાં ૧૫ થી ૧૯ વર્ષ -અ વિભાગ તથા ૧૯ વર્ષ થી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના “બ” વિભાગમાં આવશે. નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાનો વિષય શ્રી અરવિંદ ઘોષનું જીવન કવન રહેશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. તથા રજ્યકક્ષાએ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિના મુલ્યે પોંડીચરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારશ્રીના ખર્ચે લઇ જવામાં આવશે. આ સ્પર્ધામા અરજી કરવા માટે સાદા કાગળમાં સ્પર્ધકનું નામ, સરનામું, મોબાઇલ નંબર, જન્મ તારીખ, સ્પર્ધાનું નામ, સ્પર્ધાનો વિભાગ, સ્કુલ/કોલેજનું નામ અને સરનામું, વગેરે વિગતો લખી સ્પર્ધકનું આધાર કાર્ડ સાથે જોડી આગામી તા.૧૦/૦૧/૨૦૨૩ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં,૬ પ્રથમ માળ, પાનવાડી વ્યારા ખાતે મોકલી આપવાની રહેશે. બપોરે ૧૨ કલાક પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. આથી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other